Vantara Animal rescue: તમે બધા જાણો છો કે વનતારા એ વિશ્વનું એકમાત્ર Animal rescue center છે, જે દેશ અને વિશ્વના વન્યજીવોની સંભાળ રાખે છે. અને વિશ્વના કોઈપણ ખૂણામાંથી વન્યજીવોને બચાવીને વનતારા જામનગર એનિમલ સેન્ટરમાં લાવવામાં આવે છે, તાજેતરમાં લંડનથી પેસેન્જર પ્લેન દ્વારા બે વાઘને વનતારા માં લાવવામાં આવ્યા છે. અને વનતારા માં આશ્રય આપ્યો છે.
200 મુસાફરો સાથે પેસેન્જર વિમાનોમાં લંડનથી લાવવામાં આવ્યા 2 વાઘ
બંને વાઘને ખાસ પાંજરામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને વિમાન માં પાંજરા ની અંદર ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી. શનિવાર, 1 ફેબ્રુઆરીની મોડી રાત્રે, એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા બે વાઘને લંડનથી અમદાવાદ, ગુજરાત લાવવામાં આવ્યા. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લગભગ 200 મુસાફરો હતા. બંને વાઘને કાર્ગો હોલ્ડમાં ખાસ પાંજરામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શિકારી પ્રાણીઓને પેસેન્જર વિમાનોમાં લાવવામાં આવતા નથી, તેમને ખાસ કાર્ગો વિમાનોમાં લાવવામાં આવે છે અને મોકલવામાં આવે છે, પરંતુ પહેલીવાર પેસેન્જર વિમાનના કાર્ગોમાં વાઘને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
બંને વાઘને વનતરા જામનગર મોકલવામાં આવશે
અમદાવાદથી લંડનનું ૬૮૫૬ કિમીનું અંતર કાપીને, સવારે ૯ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવા માં આવ્યા હતા. બંને વાઘ માટે પાંજરામાં ખોરાક અને પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગ દ્વારા વન્યજીવન અધિનિયમના નિયમો અનુસાર બંને વાઘને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, બંને વાઘને વનતારા જામનગર મોકલવામાં આવ્યા. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રાણી બચાવ અને પુનર્વાસ કેન્દ્ર, વનતારા માં બંને વાઘનું નવા સભ્યો તરીકે સ્વાગત કરવામાં આવ્યું.
DGFT પાસેથી લેવામાં આવ્યું લાઇસન્સ
નિયમો મુજબ બંને વાઘ માટે લાઇસેન્સ લેવામાં આવ્યું હતું. વિદેશથી આવતા પ્રાણીઓ માટે કસ્ટમ દ્વારા લાઇસેન્સ પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. પ્રાણી માટે DGFT પાસેથી લાઇસન્સ મેળવવું જરૂરી છે, અને એક આરોગ્ય પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવે છે, જેમાં જણાવવામાં આવે છે કે પ્રાણીને રસી આપવામાં આવી છે અને તે કોઈપણ રોગથી મુક્ત છે. કોઈપણ એરપોર્ટ પર ઉતાર્યા પછી પ્રાણી ની આરોગ્ય તપાસ ફરજિયાત પણે કરવામાં આવે છે.
આ પણ વાંચો:
Vantara જામનગરે ACTP સાથે મળી બ્રાઝિલમાં 41 મકાઉ પ્રજાતિના પક્ષીનું પુનર્વાસ કરાવ્યું.