WhatsApp Group Join Now
Telegram Group Join Now

SC on reservation in Medical Colleges: ડોમિસાઇલથી પીજી કોર્સમાં હવે નહી મળે એડમિશન, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય

SC on reservation in Medical Colleges

SC on reservation in Medical Colleges: અત્યાર સુધીમાં સમગ્ર દેશભરમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે ડોમીસાઈલ ના આધારે અનામત વ્યવસ્થા ચાલતી હતી. જેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો લેવામાં આવ્યો છે. અત્યારથી હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરવા માટે મેડિકલ કોલેજમાં જે ડોમીસાઈલ ના આધારે અનામત વ્યવસ્થા ને લાભ આપવામાં આવતો હતો તે મળશે નહીં તેને ગેર બંધારણીય જાહેર કરવામાં આવ્યો છે.

3 જજોની બેન્ચમા લીધો નિર્ણય

ડોમીસાઈલ ના આધારે અનામત વ્યવસ્થા નો લાભ મેડિકલ કોલેજમાં અપાતો હતો તેને કોર્ટ દ્વારા બંધારણની કલમ 14 નું ઉલંઘન થાય છે તેવું જણાવવામાં આવ્યું. અને અનામતને લાગુ કરી શકાશે નહીં. જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટીસ એસવીએન ભઠ્ઠી આ ત્રણ સુપ્રીમ કોર્ટના જજોની બેંચમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. તેમના દ્વારા ચુકાદામાં કહેવામાં આવ્યું”આપણે બધા ભારતના રહેવાસી છીએ. અને આપણા દેશમાં રાજ્ય કે પ્રાદેશિક ડોમીસાઈલ જેવું કશું જ નથી. ફક્ત એક જ ડોમીસાઈલ છે અને એ છે કે આપણે બધા સૌ ભારતના વતની છીએ.

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવે છે કે અમુક સુધી ડોમીસાઈલ અનામત વ્યવસ્થા એ અંડર ગ્રેજ્યુએટ (એમબીબીએસ) માટે જે એડમિશન થાય છે તેમાં માન્ય રાખવામાં આવશે પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં તેને લાગુ કરી શકાશે નહીં. તેમના મત મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં તે વિદ્યાર્થીની સ્કિન અને નીપુણતા મહત્વપૂર્ણ બાબત હોય છે.

જસ્ટિસ ધુલિયા દ્વારા આ ચુકાદાના અવલોકન કરતા જણાવ્યું કે- પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં નિષ્ણાંત ડોક્ટરની જરૂર હોય છે. અને આવાસ આધારિત અનામત એ ઉચ્ચ ધોરણે બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન થાય છે તેવું ગણવામાં આવશે.

બંધારણ ની કલમ 19 હેઠળ મળે છે નાગરિકને આ બધા અધિકાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ચુકાદામાં ત્રણ જજોની બેંચે એ બાબતની સ્પષ્ટતા કરતા જણાવી છે કે બંધારણની કલમ 19 હેઠળ દેશના તમામ નાગરિકને ભારતના કોઈપણ જગ્યામાં રહેવા માટે, વેપાર કરવા માટે અને પ્રોફેશનલ વર્ક કરવા માટેનો સંપૂર્ણ અધિકાર છે. અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાના સંદર્ભમાં પણ આ અધિકાર લાગુ થાય છે. અને કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના શૈક્ષણિક કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ડોમીસાઈલનો લાભ એ આ મૌલિક અધિકારને અવરોધે છે.

હાલની અનામત પર સ્પષ્ટીકરણ

આ નિર્ણયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તેનાથી પીજી મેડિકલમાં પ્રવેશ માટે પહેલાથી આપવામાં આવેલ કોઈપણ નિવાસ આધારિત આરક્ષણ પર અસર પડશે નહીં. હાલની નીતિઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ ભવિષ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટમા એડમિશન નવા નિયમો હેઠળ થશે. આ નિર્ણયનો એવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પણ મહત્વપૂર્ણ પ્રભાવ પડશે જેવો NEET PG પાસ કર્યા પછી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગે છે. આ નિર્ણય પીજી કોર્સના સંબંધમાં રાજ્ય કોટાને જોવાની રીતમાં બદલાવ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારના રોજ આ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

DL RC Aadhar Link: ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો માટે આધાર મુજબ સરનામું અપડેટ કરવું ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર 

Maha Kumbh Stampede: પ્રયાગરાજમાં મહા કુંભમાં નાસભાગમાં 30ના મોત, 60 ઘાયલ, CM યોગીએ કહ્યું- ઘટના હૃદયદ્રાવક

હવે નહીં આપવી પડે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, ઘરેથી ટેસ્ટ આપી આ રીતે મેળવો લર્નિંગ લાઇસન્સ