WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા મહાકુંભ માટે શરૂ કરવામાં આવી વોલ્વો બસ સેવા, ખુબજ સસ્તા ભાડાંમાં મળશે, આવી આવી મળશે સુવીધાઓ

Gujarat maha Kumbh Bus Service 2025

Gujarat maha Kumbh Bus Service: પ્રયાગરાજ માં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ ચાલી રહ્યો છે. ને હવે ગુજરાતમાંથી ડાયરેક્ટ પ્રયાગરાજ માં મહાકુંભ મેળામાં જવા માટેની સગવડ થઈ ગઈ છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ GSRTC દ્વારા ત્યાં જવા માટે નવી AC volvo બસ ની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના માટે 8100 સો રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે. જેનો સમયગાળો ચાર દિવસ અને ત્રણ રાતનો રહેશે. અને આ સેવા દરમિયાન એક રાત્રી વિરામ પણ હશે.

ગુજરાત મહાકુંભ બસ સર્વિસ

પ્રયાગરાજ માં અત્યારે મહાકુંભનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે દેશ અને દુનિયામાંથી કરોડો લોકો રોજે ત્યાં આવે છે અને તેનો લાભ રહી રહ્યા છે. હવે ગુજરાત રાજ્યના શ્રદ્ધાળુ ભક્તોને ત્યાં જવા માટે ગુજરાત સરકાર, ટુરીઝમ ડિપાર્ટમેન્ટ અને GSRTC દ્વારા ત્યાં જવા માટે ડાયરેક્ટ બસ સંચાલિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતથી ત્યાં જવા માટે નવી AC volvo બસ ની શરૂઆત કરવામાં આવી રહી છે. 27 જાન્યુઆરી 2025 ના રોજ ગાંધીનગરથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૌપ્રથમ બસને લીલો ઝંડો લહેરાવીને પ્રયાગરાજ જવા માટે રવાના કરશે. રાજ્યના લાખો વ્યક્તિઓ માટે પ્રયાગરાજ માં કુંભ મેળામાં જવામાં સરળતા રહે તેના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પ્રયાગરાજમાં લોકોને રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં એક નાઈટ રોકાવાનું પણ થશે જે આ પેકેજમાં આવી જાય છે.

કેવી રીતે તમે આ લાભ લઈ શકશો ?

આ પેકેજમાં ત્રણ રાત માટે પ્રવાસ અને બસ યાત્રાનો સમાવેશ થાય છે. અને પ્રયાગરાજ માં આવેલ ગુજરાત પવેલિયનમાં એક રાત રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ પ્રયાગરાજ પેકેજની ઓનલાઈન બુકિંગ 25 જાન્યુઆરી 2025 ના રોજ રાજ્ય પરિવહન નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ ન માધ્યમથી શરૂ કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પણ વાંચો: Reliance new data centre 2025:રિલાયન્સ બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ! જુઓ શું કહ્યું ડાયરેક્ટર આકાશ અંબાણીએ

ગાંધીનગર થી પ્રયાગરાજ સુધી 1400 કિલોમીટરનું અંતર થાય છે. જેના કારણે આ પ્રયાગરાજ પેકેજ ત્રણ રાત અને ચાર દિવસનું છે. GSRTC વડા બનાવવામાં આવેલ નિયમો હેઠળ સ્વચ્છતા અને નાગરિકોને સ્વચ્છ ભોજન આપવા માટેનું વચન આપવામાં આવ્યું છે. અને એ જ કારણે ગુજરાતમાં હિન્દુ નામથી લાયસન્સ લઈને વિશેષ સમુદાય દ્વારા હોટલ ચલાવવા પર એક્શન લેવામાં આવ્યું છે. અને આવી 27 હોટલ ઉપર કારવાઈ કરીને તેમના લાયસન્સને રદ કરવામાં આવ્યા છે. યાત્રીઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે આ હોટલમાં ખાવાના વધારે પૈસા લેવામાં આવે છે. અને આવે હોટલોમાં રાજ્ય પરિવારની બસો રોકવામાં આવશે નહીં.