Last updated on February 13th, 2025 at 02:19 pm
ક્રિકેટમાં અત્યારે હવે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે. અને આ ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અને તેમાં સૌથી વધારે ચોંકાવનારી બાબત એ છે કે મોહમ્મદ સમી વન-ડેમાં પાછા આવશે. જણાવીએ કે રોહિત શર્મા અને અજીત અગરકર દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇન્ડિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે મોટા નામો તમને જોવા મળશે જે બદલાવ કરવામાં આવેલ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇન્ડિયન ટીમ્સ સ્કોડ | champions trophy India squad 2025
- રોહિત શર્મા ( કેપ્ટન)
- શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
- યશસ્વી જયસ્વાલ
- વિરાટ કોહલી
- શ્રેયસ ઐયર
- રિષભ પંત ( વિકેટ કિપર)
- કે એલ રાહુલ ( વિકેટ કીપર)
- હાર્દિક પંડ્યા
- અક્ષર પટેલ
- રવિન્દ્ર જાડેજા
- વોશિંગ્ટન સુંદર
- કુલદીપ યાદવ
- જસપ્રિત બુમરા
- મોહમ્મદ સમી
- હર્ષદીપ સિંગ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત એ ગ્રુપ A મા છે. અને 20 ફેબ્રુઆરી ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ સૌપ્રથમ મેચ રમાશે. તેના પછી 23 ફેબ્રુઆરીમાં પાકિસ્તાન વિરુદ્ધ અને 2 માર્ચના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમશે. ભારત એ તમામ મેચ દુબઈમાં રમશે કેમકે તેમની સરકાર દ્વારા તેમને પાકિસ્તાન જવા માટે અનુમતિ આપી નથી.
ઇન્ડિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ જાહેરાતની મુખ્ય બાબતો
ટીમ ઇન્ડિયા દ્વારા શનિવારના રોજ icc ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવેલી છે. કેપ્ટન રોહિત શર્મા અને મેઈન સિલેક્ટર અજીત અગરકર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરવામાં આવ્યું. અને આ ટીમની જાહેરાત થતા હવે સૌથી ચર્ચાનો વિષય એ છે કે શુભમન ગીલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
અને ફાસ્ટર બોલર જસપ્રિત બુમરાની પણ પસંદગી કરવામાં આવી. અગરકર દ્વારા જણાવવામાં આવેલું છે કે બુમરાની ફિટનેસ વિશેની વધારે માહિતી ફેબ્રુઆરીમાં આપવામાં આવશે. 15 ખેલાડીઓની આ ટીમમાં કે એલ રાહુલ અને ઋષભ પંતને સંજુ સેમસનની જગ્યાએ વિકેટકીપર રૂપે પ્રાથમિકતા આપવામાં આવી છે. અને આ ટીમ સ્કોડમાં મોહમ્મદ સિરાજ નું નામ જોવા મળ્યું નથી. બોલરમા કુલદીપ યાદવ અને મોહમ્મદ સમીની પણ પસંદગી કરવામાં આવી છે. અને આ પ્રેસ કોન્ફરન્સમાં મેઈન કોચ ગૌતમ ગંભીર હાજર રહ્યા ન હતા. તેમના દ્વારા શુક્રવારના સાંજે રોજ રોહિત શર્મા અને સિલેકટર સાથે ચર્ચામાં વાત કરીને તેમનું ઇનપુટ આપવામાં આવ્યું હતું.
એટલે કે જસપ્રિત બુમરા, કુલદીપ યાદવ અને મોહમ્મદ સમીને ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતના 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત એ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6,9 અને 12 ફેબ્રુઆરી 2025માં ત્રણ દ્વીપક્ષિય વન-ડે મેચ રમશે. જેના પછી સ્કોડ 19 ફેબ્રુઆરી 2025 થી શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા માટે નીકળશે. આવીજ informative માહિતી માટે અમારી વેબસાઇટ vtv gujarati ની મુલાકાત લેતા રહો.