Last updated on February 19th, 2025 at 01:38 pm
New Delhi Platform News: શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગ જેવી ઘટનામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
રેલવેના ડેપ્યુટી કમિશનર શ્રી કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૧૪ પર ઉભી હતી, ત્યારે પ્લેટફોર્મ પર ઘણા લોકો હાજર હતા. મલ્હોત્રાએ જણાવ્યું કે સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની ટ્રેન મોડી ચાલી રહી હતી અને આ ટ્રેનોના મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર ૧૨, ૧૩ અને ૧૪ પર હાજર હતા.
New Delhi Platform News | ભાગદોડનું કારણ શું છે?
માહિતી મુજબ, ૧૫૦૦ જનરલ ટિકિટ બાકી હતી, તેથી ભીડ બેકાબૂ થઈ ગઈ. ડીપી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર ૧૪ અને પ્લેટફોર્મ નંબર 1 નજીક એસ્કેલેટર પાસે ભાગદોડ જેવી સ્થિતિ હતી. ભારતીય રેલ્વેએ નાસભાગ ના સમાચારને અફવા ગણાવીને ફગાવી દીધા હતા પરંતુ પુષ્ટિ આપી હતી કે કઈક લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે આજે રાત્રે લગભગ 10:00 વાગ્યે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 13 અને 14 પાસે અભૂતપૂર્વ ભીડની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક અચાનક ભીડને અને નાસ ભાગ ના કારણે પ્લેટફોર્મ પર હાજર કેટલાક મુસાફરો બેભાન થઈ ગયા હતા, જેના કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિની અફવા ફેલાઈ હતી. આ વાત લોકો માં ફેલાઈ ગઈ. બાદમાં ભીડ ઓછી કરીને પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી. ભીડ ઓછી કરવા માટે ઉત્તર રેલ્વેએ તાત્કાલિક ખાસ ટ્રેનો ચલાવી હતી. જ્યારે ભીડ ઓછી થઈ, ત્યારે રેલવે પોલીસ અને દિલ્હી પોલીસે બેભાન અને ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કર્યા.
રેલવેએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી દુઃખદ સમાચાર આવ્યા છે. તેમણે કહ્યું કે રેલ્વે પ્લેટફોર્મ પર ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાનથી તેઓ દુઃખી છે. આ દુઃખની ઘડીમાં, મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.