Bhavnagar RTO એ ડીટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે વાહનના માલિકોને છેલ્લી તકનો લાભ લેવા માટે સમય સીમા આપેલ છે. આરટીઓ કચેરીએ ડીટેઇન કરેલા વાહનોને જાહેર કરેલી છેલ્લી તારીખ પહેલા છોડાવી લેવા માટે સમય આપ્યો છે. આ સમય ચૂકી ગયા પછી રાજ્ય સરકારના નિયમો મુજબ આરટીઓ કચેરી ટેક્સ અને દંડ વસૂલ કરવા વાહનોને હરાજીમાં મૂકશે. છેલ્લી તારીખ કઈ છે અને કેટલા વાહનોની કુલ લેણીરકમ છે તે અમે તમને આ ખબરમાં વિગતવાર માહિતી આપીશું.
Bhavnagar RTO એ જાહેર કરેલા વાહનોની યાદી
આરટીઓ કચેરીએ જાહેર કરેલી યાદીમાં જણાવવામાં આવેલ છે કે બાકીદારોને મુંબઈ મોટર વ્હીકલ ટેક્સ એક્ટ 1958 ની જોગવાઈઓ હેઠળ નોટિસ આપવામાં આવે છે કે તેમનું વાહન ઉકત કાયદાની કલમ 12 બી હેઠળ ડીટેઇન કરવામાં આવેલ છે અને વાહનની દંડ પેનલ્ટી અને ટેક્સ વગેરેની બાકી રહેલી રકમ કોલમ ચાર મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટિસ આપી છતાં લેણીની રકમ ભરવા ની દરકાર વાહન ચાલકો દ્વારા થયેલ નથી.

ટેક્સ અને દંડ ભરવાની છેલ્લી તારીખ
Bhavnagar RTO દ્વારા જાહેર કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ તારીખ 7 /2 /2025 સુધીમાં લેણી રકમ ભરીને વાહન છોડાવી લેવાની અંતિમ તક આપવામાં આવેલ છે. આ તારીખ પછી કોઈપણ અરજદારો કે ફાઇનાન્સરો નો હકદાવો વાહનો પર રહેશે નહીં. જો તેઓ તેમ કરવામાં સાબિત થશે તો વાહન રાજ્યસાત કરી વાહનોની હરાજી વેચાણ કરી બાકી રહેલ લેણી રકમની વસુલાત કરવામાં આવશે, આ બાબતની વાહન ચાલકોએ ગંભીરતાથી નોંધ લેવી. આ સાથે જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે કે બાકી રહેલી ની રકમ ભરવાના દિવસે પરિસ્થિતિ અનુસાર વ્યાજ તથા દંડનું મૂલ્યાંકન કરીને ટેક્સ દંડ અને વ્યાજની રકમની વસૂલાત કરવામાં આવશે.
કેટલા વાહનો અને કેટલી રકમ
Bhavnagar RTO અધિકારી ઇન્દ્રજીત ટાંક દ્વારા જણાવ્યા મુજબ RTO એ ફૂલ 22 વાહનો ડિટેઇન કર્યા છે. 22 વાહન માલિકોને 7-2-2025 એ છેલ્લીવાર તક આપવામાં આવેલ છે. આ યાદીમાં જણાવ્યા અનુસાર 22 વાહન ચાલકોને કુલ 7,176,218 જેટલી રકમ લ્હેણી નીકળે છે. આજે 7 તારીખે તક ચૂકી જવાશે તો સરકારના નિયમ મુજબ વાહનોની હરરાજી કરી રકમની વસુલાત કરવામાં આવશે.