8th pay commission: વર્ષ 2025 ની શરૂઆતમાં જ દરેક સરકારી કર્મચારીઓને ખૂબ જ મોટી ભેટ આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે કેમકે ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી દરેક સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત પગાર ભથ્થા અને પેન્શન ચૂકવવામાં આવતું હતું, આઠમા પગાર પંચના અમલમાં આવવાથી દરેક સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો થઈ શકે છે.
તારીખ 16 જાન્યુઆરી 2025 ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આઠમાં પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે આ અંગેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ જણાવ્યું કે આઠમાં પગાર પંચ માટે અધ્યક્ષ અને બે સભ્યોના ટૂંક સમયમાં નામ રજૂ કરવામાં આવશે.
8th pay commission ક્યારે લાગુ થશે?
મોદી સરકાર દ્વારા 2016 માં સાતમાં પગાર પંચને લાગુ કરવામાં આવ્યું હતું જેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થવાનો છે અને ત્યારબાદ 1 જાન્યુઆરી 2026 ના રોજ થી આઠમાં પગાર પંચને લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દરેક પગાર પંચનો કાર્યકાળ દસ વર્ષનો હોય છે સાતમા પગાર પંચનો દસ વર્ષનો કાર્યકાળ 2025 માં પૂર્ણ થતો હોવાથી 1 જાન્યુઆરી 2026 ના રોજથી આઠમાં પગાર પંચને લાગુ કરવામાં આવશે. 16 જાન્યુઆરી 2025 ના રોજ કેબિનેટ બેઠકમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આઠમાં પગાર પંચને મંજૂરી આપી સરકારી કર્મચારીઓ અને 60 લાખથી વધારે પેન્શનરોને 2025ની મોટી ભેટ આપી છે.
8th pay commission થી સરકારી કર્મચારીઓના પગારમાં થશે વધારો?
અત્યાર સુધી દરેક સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત પગાર ભથ્થા અને પેન્શનરોને પેન્શન ચૂકવવામાં આવતું હતું જે ડિસેમ્બર 2025 સુધી યથાવત રહેશે અને 1 જાન્યુઆરી 2026 થી દરેક સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને આઠમાં પગાર પંચ અંતર્ગત પગાર ભથ્થા અને પેન્શન ચૂકવવામાં આવશે જે લઘુત્તમ પગાર 34,560 રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને પેન્શન તરીકે 17,280 + DR મળવાની અપેક્ષાઓ છે આનો સીધો અર્થ એવો થાય છે કે આઠમાં પગાર પંચ અંતર્ગત લઘુત્તમ વેતનમાં લગભગ ૧૬૬ ટકાનો વધારો થઈ શકે છે પગાર અને ભથ્થા વધવાના કારણે પેન્શનમાં પણ વધારો થઈ શકે છે.
કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આઠમાં પગાર પંચની દેખરેખ માટે ટૂંક સમયમાં અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સાતમા પગાર પંચ અંતર્ગત લઘુત્તમ પગાર 7000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ રચાતું હોય છે
દેશના 60 લાખ સરકારી કર્મચારીઓ અને ૬૭ લાખ પેન્શનરોને થશે ફાયદો
આઠમો પગાર પંચ અમલમાં આવવાથી દેશના લગભગ 60 લાખથી વધારે સરકારી કર્મચારીઓ અને 67 લાખ થી વધારે પેન્શનરોને ફાયદો થઇ શકે છે. કારણ કે સરકારી કર્મચારીઓના સંગઠને તાજેતરમાં યોજાયેલી 2025 ની પ્રિ બજેટ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે પણ બેઠક કરી હતી અને આ બેઠકમાં તેમણે 60 લાખથી વધારે અને 67 લાખથી પણ વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને માટે આઠમા પગાર પંચ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આખરે આઠમો પગાર પંચ અમલમાં આવવાથી આ દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થઈ શકે છે.
FAQ
8th pay commission ક્યારે લાગુ થશે?
એક જાન્યુઆરી 2026 ના રોજ થી આઠમાં પગાર પંચને લાગુ કરવામાં આવશે.
પગાર પંચનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
પગાર પંચનો કાર્યકાળ 10 વર્ષનો હોય છે.
8th pay commission ક્યારે મંજૂર કરવામાં આવ્યું?
16 જાન્યુઆરી 2025 ના રોજ કેબિનેટ બેઠકમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આઠમાં પગાર પંચને મંજૂરી આપી.